My Account | Online Catalogue | Contact Us
Contributions like articles, book reviews, book abstracts, etc. are welcome from Library Members, Bhavan’s staff, and friends and supporters of the Library.
.
ઊર્મિ ઘનશ્યામ દેસાઈ એટલે ગુજરાતી ભાષાવિજ્ઞાન ક્ષેત્રે પાયાનું કામ કરનાર ભાષાવૈજ્ઞાનિકોમાં અગ્રસ્થાન ધરાવતા ભાષાશાસ્ત્રી. ભાષાવિજ્ઞાન ક્ષેત્રે તેમનાં ઘણાં પુસ્તકો પ્રગટ થયા છે. ગુજરાતી ભાષા લખતાં શીખવતા પુસ્તકથી લઈને વ્યાકરણનો તલસ્પર્શી અભ્યાસ કરતાં ઘણાં પુસ્તકો તેમણે લખ્યાં છે. તેમની દાયકાઓની લેખન, અભ્યાસ અને સંશોધનયાત્રા દર્શાવતા પુસ્તકોની સૂચી નીચે આપવામાં આવી છે.
મહારાષ્ટ રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીએ ૨૦૨૪માં તેમને “જીવન ગૌરવ પુરસ્કાર” થી સન્માનિત કર્યા છે. આ ઉપરાંત, ૨૦૧૪માં પ્રકાશિત થયેલ તેમના પુસ્તક “ગુજરાતી વ્યાકરણનાં બસો વર્ષ” માટે તેમને ૨૦૧૭માં દિલ્હીની સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદે એમને ૨૦૧૫માં શ્રી પ્રભાશંકર તેરૈયા પારિતોષિકથી નવાજ્યાં હતાં.